Thursday, June 3, 2010

Hello My Friends.............I think u r very Happy in Your life........

I think u r in Love with someone......................so told she/he this nice poems written by our great Gujarati poets so please...............read it nicely......................................By Your Heart Not By Your Mind...............Okeay.........................For More Poems...............................log on to My Web Sites
"http://www.himanshuthinks.webs.com/"


કરવુ સાચુ પણ હવે ગમતુ નથી
અને આજ સત્ય પણ વહાલુ લાગતુ નથી
કરે છે હિર-રાંઝાની વાતો લોકો,
પણ એ પ્રણયફુલ હ્રદયમા ખીલતુ નથી
મૃત્યુ છે મંઝીલ છેલ્લી આ જીન્દગી ની
લોકોને હજી આ સમજાતુ નથી
કરે છે ખોટા કર્મો લોકો આજ
સતકર્મ કરીને પરલોક સુધરતુ નથી


ખીલતાને તો ખીલવાની મઝા હોય જ છે,
પણ કરમાયને ખીલવાની મઝા અનેરી હોય છે
ઝાડ પર ફળ બની લટકવાની તો મઝા હોય જ છે
પણ ખરીને ફરી વૃક્ષ બનવાની મઝા અનેરી હોય છે
જીવન સુખમય જીવવાની તો મઝા હોય જ છે નિશિત
પણ દુઃખમા સુખમય જીવન જીવવાની મઝા અનેરી હોય

પ્રેમની એમણે કદર ક્યાં રાખી છે ?

દિલની એમણે ખબર ક્યાં રાખી છે ?

મે કહ્યું મરી જઇશ તારા પ્રેમમાં,

એમણે પૂછયું કબર ક્યાં રાખી છે ???


વાત મારી નીકળી તો હશે,


સાંભળી પાંપણો ઢળી તો હશે,


મૌન પાળ્યું હશે છતાં ‘ઘાયલ’


ચીસ આંખોમાં સળવળી તો હશે.

- અમૃત ‘ઘાયલ


જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું;

Tuesday, May 11, 2010

What is a Love? ..........I Will Answer u in My language

Hai.................It is Not My Words but it is in My language Nad Your language
sol Pls read it carefully...........!!

1.
પ્રેમ એટલે અંજપાની પરાકાષ્ઠા..
પ્રેમએટલે પ્રથમ વાર ચોડેલા ચુંબનમાંથીગુંજેલા મીઠો મુદુ ચીત્કાર..
જીવનનો સૌથી નિર્દોષ છતા સૌથી ઉતેજનાપૂર્ણએકરાર એટલે પ્રેમ...!!
•♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥

2.
પ્રેમ એટલે મુગજળના દરીયાને પામવાનોપુરુષાર્થ ..
•♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥

3.
ફરી ફરીને આવે યાદ તારીએવી ફરીયાદનુ નામ છે પ્રેમ.....!!!!
મન લીલુછમ થઇ જાય અને ટહુકી લેવાનુ મન એટલે પ્રેમ.....!!
•♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥

4.
પ્રેમ એટલે એવો રસ્તો જ્યાં શબ્દોનો સથવારો ન હોય, હોય તો માત્ર લાગણીઓની મૌન મહેક.
•♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥
5.
પ્રેમ એટલે એકબીજા સામે નહી પણ બન્નેએ સાથે એક દિશામાં જોવુ તે....
•♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥
6.
પ્રેમ એટલે ન તો એકલો હું કે ન તો એકલી તું, પ્રેમ એટલે "આપણે".....
•♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥
7.
જેમાં સમાધિ લાગે તે પ્રેમ.......
•♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥ •♥
8......
પ્રેમ એટલે ભૂતકાળની એવી પળ જે તમારા વર્તમાનને ક્ષણભર થંભાવી દે.....•♥ •♥ •♥ •♥
દલીલ નહી દિલની વાત એટલે પ્રેમ....•♥ •♥ •♥ •♥
વરસાદ પછીનો તડકો ઉઘડે એ પ્રેમ......•♥ •♥ •♥ •♥
પ્રેમ એટલે વસંતઋતુ......•♥ •♥ •♥ •♥
જેમાં ઓગળી જવાની ઇચ્છા થાય એ પ્રેમ......•♥ •♥ •♥ •♥
પ્રેમ એટલે લાગણીનો ભીનો અનુભવ.....•♥ •♥ •♥ •♥
લેવાની નહી આપવાની વૃતિ એટલે પ્રેમ.....•♥ •♥ •♥ •♥
પ્રેમ એટલે હ..લ..કા સા નશા.....•♥ •♥ •♥ •♥
પ્રેમ એટલે ઇશ્વરની ભેંટ.....•♥ •♥ •♥ •♥
માનવીય લાગણીઓને જોડતો પૂલ એટલે પ્રેમ.....•♥ •♥ •♥ •♥
જીવનના પાનખરમાં પણ વસંતના વાયરા આપે તે પ્રેમ.....•♥ •♥ •♥ •♥
menમાંથી gentlemen બનાવે તે પ્રેમ........•♥ •♥ •♥ •♥
ક્ક્કો ન આવડે પણ કવિતા લખે તે પ્રેમ..... •♥ •♥ •♥ •♥
સુરક્ષિત હોવાનો અહેસાસ કરાવે તે પ્રેમ.....•♥ •♥ •♥ •♥
પ્રેમ એટલે લાગણીની લોકશાહી.....•♥ •♥ •♥ •♥
વ્યાખ્યામાં બંધાય નહી તે પ્રેમ.....•♥ •♥ •♥ •♥
તમારા પ્રેમીના માત્ર એક સ્માઇલ માટે ગમે તે કરી છુટવાની ઇચ્છા એ પ્રેમ.....•♥ •♥ •♥ •♥
પૃથવી પર સ્વર્ગનો અનુભવ થાય એ પ્રેમ......•♥ •♥ •♥ •♥
love એટલે logic નહી magic.....•♥ •♥ •♥ •♥
દિમાગથી પિંજવુ નહી પણ દિલથી માંજવું એટલે પ્રેમ.....•♥ •♥ •♥ •♥
લાગણીની અભિવ્યક્તિ એટલે પ્રેમ...........•♥ •♥ •♥ •♥


I Think u all my friends was understand what i s Love(Prem)..........!!!
thnak U my friends..............!!
Jay Sai Nath...!!!
Jay Shree Krushna......!!!

Monday, April 26, 2010

સ્મીત

ના જા તું હવે, મને તારા સ્મીતની અછત વરતાશે,
હે દોસ્ત, જઇશ તું તો, મારું સ્મીત પણ ખોવાઇ જાશે.

કેટલું સહેલાઇથી અમને કહી દીધું કે, ભૂલી જાવ તમે,
કરું જો ભૂલવાની કોસીસ, તો વધુ યાદ આવ્યા કરશે.

હશે જરૂર કોઈ તો કારણ, નહી તો આવુ થાય નહી,
કદાચ મારા હાથમાં, તારા નામની લકિર નાની હશે.

ન ચાહત હતી કિનારાની, હતું મધદરીયે રહેવું કબુલ.
ક્યાં ખબર હતી, કે નાખૂદા સાવ અચાનક છોડી જાશે.

છે ગમ તારા જવાનો મને, પણ હવે કહું તો કોને કહું,
આ સુમસાન શહેરમાં, મારી વાત કોણ સમજી સકશે.

છે દદૃ અમને, પણ રોકી રાખ્યા છે આંસુંને પલકોમાં,
કદાચ નયનમાં સાચવી રાખેલી છબી ધોવાઇ જાશે.


સાબિતી..............dhadkan


આવે નહી સાગરમાં, ભરતી સાવ અમસ્તી,
જરૂર તમારી, કોઈક કિનારે તો હાજરી હશે.

કહી કહીને થાક્યો, કે નથી પીતો હું શરાબ,
કદાચ નજરના નશાની અસર આવી હશે,

ન કોઈ ગમ મૃગજળની પાછળ દોડવાનો,
જીવવા માટે, એક આભાસ પણ જરૂરી હશે.

બનાવે કોઈ યાદી, દૂનીયાભરના દિવાનાની,
તો યાદીમાં, અમારું નામ સહુંથી પહેલું હશે.

ન કહો કે, કાંઈ નથી મેળવ્યું ચાહતમાં અમે,
મારી એકલતા, તારી ચાહતની નિશાની હશે.

ન આવી કોઈ કામ, મારી આ દુઆ કે યાચના,
કદાચ તારા ખૂદા હોવાની આ સાબિતી હશે.

more peome pls visit
]http://dhadakankavita.blogspot.com/
my friend blog

Sunday, April 25, 2010

હસો ખડખડાટ!

laughing
દર્દી : ડોક્ટર સાહેબ, આટલી નાનીઅમથી બીમારીનું બિલ આટલું મોટું હોતું હશે?
ડોક્ટર : એમ? તમે કહેતા હો તો બિલ નાનું ને બીમારી મોટી કરી દઉ.

રોકી : સન્ની તેં ક્યારેય ઉજ્જડ જમીન જોઈ છે?
સન્ની : અરે, હું તો રોજ જોઉ છું.
રોકી : એ કેવી રીતે?
સન્ની : મારા પપ્પાની ટાલ હું દરરોજ જોઉ છું પણ કશું ઊગતું જ નથી.



ટીચર : ઈન્ડિયા ગેટ કયાં આવેલો છે?
તોફાની બંટી : સર, હું નથી જાણતો.
ટીચર : તો પછી તું બેન્ચ પર ઊભો થઈ જાય.
તોફાની બંટી : ટીચર, મને તો હજુ પણ ઈન્ડિયા ગેટ દેખાતો નથી

જો વાસના અને કામનાને દૂર કરવી હોય તો...

ગીતામાં કામનાને ત્યાગવાના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે. એક વિસ્તારક પ્રક્રિયા, બીજી એકાગ્ર પ્રક્રિયા, ત્રીજી સૂક્ષ્મ પ્રક્રિયા અને ચોથી છે વિશુદ્ધ પ્રક્રિયા...



Reduce bad wishesપરમાત્મા સુધી પહોંચવાના માર્ગમાં બે રસ્તાઓ મોટા છે, એક છે કામના અને બીજો માર્ગ છે વાસનાનો.આ બંનેની ઉપર આવતા આવતા કેટલાય લોકોનું સમગ્ર જીવન નીકળી જાય છે. આ જ જગ્યાએ ગુરુનું મહત્વ સાબિત થાય છે, જેની પાસે સાચો માર્ગદર્શક છે તે સરળતાથી આ બંનેની ઉપર આવી જાય છે. કામના અને વાસનાની એકદમ બહાર નીકળવું અધરું છે, વધારે સાચો માર્ગ એ છે કે આપણે તેનું રુપ જ બદલી દઇએ.



આધ્યાત્મિક જીવનમાં નિષ્કામતાનું મોટું મહત્વ છે. દરેકના મનમાં પ્રશ્ન ઉઠે છે કે આખરે કામનાઓનો ત્યાગ કેવી રીતે કરી શકાય. ગીતામાં કામનાને ત્યાગવાના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે. એક વિસ્તારક પ્રક્રિયા, બીજી એકાગ્ર પ્રક્રિયા, ત્રીજી સૂક્ષ્મ પ્રક્રિયા અને ચોથી છે વિશુદ્ધ પ્રક્રિયા. વિસ્તારક પ્રક્રિયાનો અર્થ છે આપણી જે કામના વ્યક્તિગત હોય તેને આપણે સામાજિક રુપ આપીએ. જેમ કે જો આપણે આપણા બાળકોને ભણાવવા ઇચ્છીએ છીએ તો આખા ગામમાં જ શાળા ખોલી દઇએ. આનાથી આપણી વાસના શુદ્ધ રુપે વિસ્તૃત થઇને વિલીન થઇ જશે. બીજી પ્રક્રિયા છે એકાગ્રની. તેમાં આપણી જે કોઇ પણ પ્રબળ વાસના હોય માત્ર તેની ઉપર જ આપણું ચિત્ત ટેકવી દઇએ અને અન્ય વાસનાઓને છોડી દઇએ. આ ક્રિયા ધ્યાન યોગ સમાન છે.

Pt.Vijayshankar Mehta

જેમ-જેમ એકાગ્રતા સધાશે, સાધક વાસનાથી મુક્ત થતો જશે. ત્રીજી વિધિ છે સૂક્ષ્મ પ્રક્રિયા. આમાં સ્થૂળ વાસનાઓને ત્યાગીને સૂક્ષ્મ વાસનાઓ પર ટકી જાઓ. શરીર કે બુદ્ધિને સજાવવી હોય તો તેની જગ્યાએ મન અને હૃદયને સજાવો. આનાથી આપણે અંતર્મુખી બનીશું અને બાહ્ય વાસનાઓ દૂર થશે. આ ક્રિયાને સંતોએ જ્ઞાનયોગની યુક્તિ કહી છે. ચોથી પ્રક્રિયા છે વિશુદ્ધ. આમાં વાસનાને વ્યક્તિગત કે સામાજિક, સ્થૂળ કે સૂક્ષ્મ ન માનવી. બે જ પ્રકારની વાસના હોય છે, શુભ અને અશુભ. સારી વાસનાને રહેવા દો અને ખરાબ વાસનાનો ત્યાગ કરો. વિનોબાજી એક ઉદાહરણ આપતા હતા, જો કોઇ મીઠી વસ્તુ ખાવાની ઇચ્છા હોય તો તેની જગ્યાએ ખાટી વસ્તુ આરોગો. આ પ્રકારે વાસનાને મારવાનું દબાણ નહીં રહે આમાં અશુભને શુભમાં પરિવર્તિત કરવાનો આગ્રહ છે. અશુભ વાસનાઓનો ત્યાગ અને શુભ વાસનાઓની પૂર્તિ કરતા-કરતા મન એક દિવસ શુદ્ધ બનીને વાસનાહિન બની જાય છે. માટે, આ ચોથી પદ્ધતિ વધારે માન્ય છે. બીજી પદ્ધતિઓમાં થોડો ભય રહે છે.

દુનિયાભરની જાણકારી હોય અને જો પોતાની જાતને ન જાણી શકાઇ હોય તો સમજી લેવું કે આપણે અજ્ઞાની છીએ.

speak with loveસામાન્ય રીતે આપણે જે વાંચીએ છીએ તેની સરખામણીમાં આપણે જે સાંભળીએ છીએ તે વધારે યાદ રહે છે. આપણે જે કહીએ છીએ-બોલીએ છીએ ક્યાંક ને ક્યાંક તે ઊંડો પ્રભાવ પાડે છે. હંમેશા એ ધ્યાનમાં રાખવું જોઇએ કે આપણા મુખમાંથી નીકળેલા શબ્દો ક્યારેય પાછા નથી આવતા. જ્યારે પણ બોલો પ્રેમથી, વિનમ્રતાથી બોલો. જેનાથી આપ વિવાદોથી બચશો સાથે-સાથે લોકપ્રિય પણ થશો.



ઊર્જા અને સમય બંનેને નષ્ટ કરવા પાછળનું એક કારણ વાદ-વિવાદ પણ હોય છે. જે લોકો વાદ-વિવાદથી બચીને રહે છે તેઓ જીવનમાં વધારે સુખ-શાંતિ મેળવે છે. દ્વેષ-દ્રષ્ટિથી પોતાની જાતને મુક્ત કરો. ઉદાસીનાચાર્ય શ્રીચન્દ્રએ ઉપદેશ આપ્યો છે તેને ‘માત્રા વાણી’ કહેવામાં આવ્યો છે. અત્યંત પ્રતિકાત્મક શબ્દ છે આ માત્રા વાણી. મા નો અર્થ છે માયા અને ત્રાનો સાંકેતિક અર્થ છે ત્રાણ એટલે કે રક્ષા, માયાથી રક્ષા.



ભક્તોની યાત્રામાં માયા બાધા બનીને આડે આવે છે. સાવ સાધારણ શબ્દોમાં કહેવું હોય તો માયાને જાદુ કહી શકાય. જાદુ એટલે જે છે નથી તે દેખાવું, ભ્રમજાળ. માયાના ચક્કરમાંથી મોટી મોટી હસ્તીઓ પણ બચી શકતી નથી. માટે જ શ્રીચન્દ્રજીએ પોતાના ઉપદેશોને નામ આપ્યું માત્રા વાણી. માત્રાને અલંકાર પણ કહેવામાં આવ્યો છે. શબ્દોના અલંકાર, મનુષ્યની સજાવટના તમામ ઘરેણા-આભૂષણો ઉતરી શકે છે પણ વાણીનું આભૂષણ હંમેશા રહે છે. માત્રા વાણી, તે શબ્દ શૃંગાર બની જાય છે જેનાથી સમગ્ર જીવન સૌંદર્ય પામી શકે છે. માત્રા વાણીમાં શ્રીચન્દ્ર એક સ્થળે કહે છે કે ‘નર્વૈર સંધ્યા દર્શન છાપા, વાદ વિવાદ મિયાવો આપા.’ ભક્ત બનીને રહો, નિર્વૈર રહો એટલે કે કોઇની સાથે દુશ્મનાવટ ન રાખો અને પોતાના તમામ વાદ-વિવાદોનો નાશ કરો. વિવાદ શા માટે થાય છે? એક જ કારણ છે, અજ્ઞાન. સહુથી મોટું અજ્ઞાન છે પોતાની જાતના મૂળને ભૂલી જવું. દુનિયાભરની જાણકારી હોય અને જો પોતાની જાતને ન જાણી શકાઇ હોય તો સમજી લેવું કે આપણે અજ્ઞાની છીએ.

Pt.Vijayshankar Mehta